પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

હથિયાર ૫રવાના

6/29/2025 12:42:41 AM

હથિયાર પરવાનો :

આર્મ્સ એક્ટ-૧૯૫૯ તથા આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ એમેન્ડમેન્ટની જોગવાઇઓ અનુસાર સ્વરક્ષણ, પાકરક્ષણ અથવા  રમત-ગમત વિગેરેના હેતુસર રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ કે એરગન જેવું હથિયાર ધારણ કરવા માટે ફરજીયાત પણે હથિયાર ૫રવાનો મેળવવાનો રહે છે. અને આ હથિયાર પરવાનો સમયાંતરે રીન્યુ કરાવવાનો રહે છે. જે માટે આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સ તથા સરકારશ્રીના વખતો-વખતના નિયમોનુસાર કરવામાં આવેલ જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવાની રહે છે. હથિયાર પરવાના સંબંધિત તમામ અરજીઓ www.ndal-alis.gov.in ઉપર કરવાની રહેશે.

 

() રીવોલ્વર/પિસ્તોલ/રાયફલ માટેના પરવાનો:

રીવોલ્વર/પિસ્તોલ/રાયફલ ધારણ કરવા માટે નવો હથિયાર પરવાનો મેળવવા માટે નિયત નમુના મુજબનું ફોર્મ ભરવાનું રહે છે. જે ફોર્મ www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાય છે. અરજદારશ્રીએ અરજી ફોર્મ ફી તરીકે રૂ.૧૦૦૦/- (અંકે એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી પોલીસ કમિશનર કચેરીની હિસાબી શાખા ખાતે નોંધણી અને સહિ-સિક્કા કરાવ્યા બાદ SBI નાનપુરા ખાતે ભરવાના રહે છે, ભરેલ ચલણની નકલ સાથે ઓનલાઇન ભરેલ ફોર્મ તથા ઓફલાઇન ફોર્મની હાર્ડ કોપી તથા ચેકલીસ્ટ મુજબના જરૂરી તમામ દસ્તાવેજો સાથે પોલીસ કમિશનરશ્રીની કચેરીની રજીસ્ટ્રી બ્રાંચ ખાતે જમા કારાવવાનુ રહે છે. અરજી ફોર્મ પરવાના શાખામાં મળ્યા બાદ પોલીસ અભિપ્રાય મેળવવા માટે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવે છે. અને  હથિયાર પરવાનો આપવા બાબતે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. બાદ, પોલીસ કમિશનરશ્રી, સુરત શહેર (લાયસન્સીંગ ઓથોરીટી) દ્રારા અરજદારશ્રીને હથિયાર પરવાનો મંજૂર કરવા અથવા નામંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

અરજદારની રીવોલ્વર/પિસ્તોલ/રાયફલનો નવો હથિયાર પરવાનો મેળવવાની અરજી મંજુર થતા નવો હથિયાર પરવાનો ઇસ્યુ કરવામાં આવે છે.

હથિયાર પરવાના અરજી "ના મંજૂર" કરવામાં આવે તેવા કિસ્સામાં અરજદારશ્રીને તે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવે છે. જો કોઇ અરજદારશ્રીને હથિયાર પરવાના અરજી "ના મંજૂર" કર્યા અંગેના નિર્ણય સામે વાંધો હોય તો અરજદારશ્રી પોતાનો “ના મંજૂર” કર્યા અંગેનો હુકમ મળ્યાથી ૩૦ દિવસની અંદર અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર સમક્ષ અપિલ અરજી ફી તરીકે રૂ.૧૦૦૦/- (એક રૂપીયા એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરીને અપિલ અરજી કરી શકશે.

 

() ગન, એરગન, એર-રાયફલ, ફાયર આર્મ્સ રેપ્લિકા, ઇલેક્ટ્રોનીક ડીસએબ્લીઝ ડીવાઇઝ, પેઇન્ટબોલ, માર્ક્સગન, બ્લેન્ક ફાયરીંગ ફાયર આર્મ્સ, મઝલ લોડીંગ (ML) ગન :

નવો હથિયાર પરવાનો મેળવવા માટે નિયત નમુના મુજબનું ફોર્મ ભરવાનું રહે છે. જે ફોર્મ www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાય છે. અરજદારશ્રીએ અરજી ફોર્મ ફી તરીકે રૂ.૧૦૦૦/- (અંકે એક હજાર રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી પોલીસ કમિશનર કચેરીની હિસાબી શાખા ખાતે નોંધણી અને સહિ-સિક્કા કરાવ્યા બાદ SBI નાનપુરા ખાતે ભરવાના રહે છે, ભરેલ ચલણની નકલ સાથે ઓનલાઇન ભરેલ ફોર્મ તથા ઓફલાઇન ફોર્મની હાર્ડ કોપી તથા ચેકલીસ્ટ મુજબના જરૂરી તમામ દસ્તાવેજો સાથે પોલીસ કમિશ્નરશ્રીની કચેરીની રજીસ્ટ્રી બ્રાંચ ખાતે જમા કરાવવાનુ રહે છે. અરજી ફોર્મ પરવાના શાખામાં મળ્યા બાદ પોલીસ અભિપ્રાય મેળવવા માટે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવે છે. અને  હથિયાર પરવાનો આપવા બાબતે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. બાદ, પોલીસ કમિશનરશ્રી, સુરત શહેર (લાયસન્સીંગ ઓથોરીટી) દ્રારા અરજદારશ્રીને હથિયાર પરવાનો મંજૂર કરવા અથવા નામંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

 

() પરવાનામાં હથિયારની નોંધણી : 

પરવાનેદારે અધિકૃત આર્મ્સ ડીલર પાસેથી હથિયાર ખરીદી કરવાનું રહેશે. હથિયાર ખરીદી કર્યા પછી તુરંત ખરીદી અંગેની નોંધ અસલ પરવાનામાં કરાવવાની રહેશે, એટલે કે હથિયારનુ વર્ણન દાખલ કરાવવાનું રહેશે. જેની ફિ પેટે રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરીને દાખલ કરાવવાનું રહેશે.

 

() હથિયાર ખરીદ મુદ્દત : 

પરવાનેદાર સમયમર્યાદામાં હથિયાર ખરીદી કરેલ ન હોય તો હથિયાર ખરીદ કરવા માટે અરજી કરવાની રહે છે અને પરવાનેદારે જણાવેલ કારણો વાજબી લાગે ત્યારે હથિયાર ખરીદ મુદ્દત વધુ ૩ માસ અથવા પરવાનો વેલીડ હોય ત્યાં સુધીની ખરીદ મુદ્દત આપવામાં આવે છે પરંતુ આ સમયમર્યાદામાં હથિયાર નહીં ખરીદ કરે તો પરવાનેદારને કારણ-દર્શક નોટીસ આપવામાં આવે છે. અને જવાબમાં દર્શાવેલ કારણો વ્યાજબી ન જણાય તો આર્મ્સ રૂલ્સ મુજબ પરવાનો રદ્દ કરવામાં આવે છે.

 

() હથિયાર પરવાનો રિન્યુ : 

પરવાનો રીન્યુ કરવા માટે પરવાનાની મુદ્દત પુરી થવાના ૬૦ દિવસ પહેલા www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. જેની હાર્ડ કોપી તેમજ અધ્યત્તન ફોટા સાથેનુ ઓફલાઇન ફોર્મ સંપુર્ણ ભરીને સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે, (i) અસલ પરવાનો (ii) પાંચ વર્ષના રીન્યુ માટે પરવાનામાં જો એક હથિયાર હોય તો રૂ.૨૫૦૦/- અને બે હથિયાર હોય તો રૂ.૫૦૦૦/- (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી પોલીસ કમિશનર કચેરીની હિસાબી શાખા ખાતે નોંધણી અને સહિ-સિક્કા કરાવ્યા બાદ SBI નાનપુરા ખાતે ભરવાના રહે છે, ભરેલ ચલણની નકલ (iii) સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી ઇ-ગુજકોપ પ્રમાણપત્ર તેમજ હથિયાર કબ્જા પ્રમાણપત્ર (iv) નવી સિવિલ હોસ્પિટલનુ S-૩ ફોર્મેટમાં ફિટનેસ અંગેનુ મેડિકલ સર્ટીફિકેટ વગેરે રજુ કરવાના રહેશે.

ઉપરોક્ત તમામ દસ્તાવેજો તેમજ વિગતો ચકાસણી કર્યા બાદ પરવાનો નિયમ અનુસાર રિન્યુ કરવામાં આવે છે. જો પરવાનેદાર દ્રારા પરવાનાની કોઇ શરતનો ભંગ કરેલ જણાય અથવા પરવાનેદારની વિરુધ્ધમાં કોઇ ગુનો દાખલ થયેલ હોય તો નિયમોનુસાર કારણદર્શક નોટીસ આપી પરવાનેદારની સ્પષ્ટતા મેળવી પરવાનો રીન્યુ/રદ્દ/મૌકુફ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

પરવાનેદાર જો પરવાનો રીન્યુ માટે મોડો રજુ કરે અથવા નોટીસ આપ્યા બાદ પરવાનેદારે પોતાના લેખિત જવાબમાં રજુ કરેલ કારણો યોગ્ય લાગે તો રીન્યુ ફી ઉપરાંત લેટ ફી પેટે રૂ.૨૦૦૦/- (બે હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી વસુલ કરવામાં આવે છે.

 

() હથિયાર પરવાના NOC: 

પરવાનેદાર જ્યારે પરવાનામાં દર્શાવેલ હદવિસ્તારની બહારથી જેમ કે કાનપુર, કોલકત્તા, અંબરનાથથી હથિયાર લેવા જાય ત્યારે NOC લેવાની રહે છે જેના માટે NOC મેળવવાની અરજી અને ફિ પેટેના રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા ) (ચલણ  ૦૦૫૫  પોલીસ સદર) ચલણથી વસુલ કરવામાં આવે છે.

           

() હથિયાર પરવાના જર્ની પરમિટ (ટ્રાવેલીંગ લાયસન્સ) :

હથિયાર પરવાનામાં દર્શાવેલ હદવિસ્તારની બહાર પરવાનેદાર હથિયાર સાથે લઇ જવા માગે ત્યારે તેઓની અરજી કરવાની રહે છે. અરજી મળ્યા બાદ ઇ-ગુજકોપ અંતર્ગત પરવાનેદાર વિરુધ્ધ ગુનાની વિગતો ચકાસી કારણો વાજબી લાગે તો જર્ની પરમિટ આપવામાં આવે છે. જે મેળવવા માટે અરજી અને ફિ પેટેના રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી વસુલ કરવામાં આવે છે.

 

() હદ વિસ્તાર વધારવા અંગે

પરવાનો જયારે ગુજરાત રાજયની હદ-વિસ્તારનું હોય અને સમગ્ર ભારતની હદ વિસ્તારનો મેળવવા અરજી કરવાની રહે છે અરજી મળેથી સંબધિંત પો.સ્ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેક્ટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી, તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ પોલીસ કમિશનરશ્રીના હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતે સરકારશ્રીમાં મોકલવામાં આવે છે.

 

() રિટેનરના નામ ઉમેરવા અંગે : 

હથિયાર પરવાનેદારશ્રી પરવાનામાં રીટેનર તરીકે તેમના પુત્ર, પત્ની અથવા સંબંધિત વ્યક્તિ કે જેઓની ઉંમર ર૧ વર્ષ હોય તેઓનું નામ દાખલ કરવા સારૂ તે અંગેના જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગેની અરજી સાથે વિનંતી કરે ત્યારે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ માન્‍ય અધિકારીશ્રીના આદેશ અનુસાર રિટેનર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રીટેનરનુ નામ દાખલ કરવા અંગે રૂ.૫૦૦/- (પાચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે

 

(૧૦) ડુપ્લિકેટ પરવાના અંગે :  

જયારે અસલ પરવાનો ગુમ થાય અથવા ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પરવાનો મેળવવાની અરજી કરવાની રહે છે. જો પરવાનો ગુમ થયેલ હોય તો પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ અરજી કરી ગુમ થયા અંગેનુ પ્રમાણપત્ર રજુ કરવાનુ રહે છે. આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ની જોગવાઇને આધિન નિયમ મુજબ ફી રૂ.૧૦૦/- (એક સો રૂપીયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) વસૂલ લઇ આપી શકાય.

 

(૧૧) હથિયાર પરવાના સરનામુ ફેરફાર : 

પરવાનેદારે દર્શાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારથી અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેવા જાય ત્યારે નવા પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનો અભિપ્રાય મગાવી જૂના પોલીસ સ્ટેશન વિસ્તારથી કમી કરી નવા પોલીસ સ્ટેશન વિસ્તારનુ સરનામુ પરવાનામાં ફેરફાર કરી આપવામાં આવે છે. તે અંગે ફિ ના રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે.

 

(૧૨) બહારના જીલ્લા/રાજ્યમાંથી મેળવેલ હથિયાર પરવાનો ટેકનઓવર (તબદીલ) કરવા અંગે:

હથિયાર પરવાનેદારશ્રી અન્ય જીલ્લા અથવા રાજ્યમાંથી રહેણાંક બદલી સુરત શહેર હદ-વિસ્તારમાં રહેણાંક બદલે અને છ(૬) માસથી વધુ સમય રોકાણ કરવાના/કાયમી સ્થાઇ થવાના હોય તેવા સંજોગોમાં હથિયાર પરવાનો ફરજીયાત અત્રે ટેકન ઓવર કરવાનો રહેશે. જે માટે NDAL-ALIS ની www.ndal-alis.gov.in વેબ સાઇટ ઉપર પરવાનેદારશ્રીએ ONLINE અરજી કરી, હથિયાર પરવાનાની નકલ તથા અન્ય જરૂરી દસ્તાવેજો ONLINE અરજીના બિડાણ સાથે પોલીસ કમિશનરની કચેરી ખાતે જમા કરાવવાના રહે છે. આવા કિસ્સામાં અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવે છે. અને  હથિયાર પરવાનો ટેકનઓવર કરવા માટે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. તેમજ જે તે જીલ્લામાથી એન.ઓ.સી મંગાવી, NOC મળેથી પરવાનો ટેકનઓવર કરી તે અંગેની જાણ જે તે જીલ્લાને કરવામાં આવે છે. ટેકન ઓવર કરવાની ફિ રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી સ્વીકારવામાં આવશે.

 

(૧૩) ટી.એલ.પરમીટ : 

અત્રેથી અન્ય રાજ્યમાં હથિયાર લઇ જવા ટી.એલ. પરમીટ આપવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પરવાનેદારની ટી.એલ ફી રૂ.૫૦૦/- (પાંચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવવામાં આવે છે. અને આર્મ્સ ડીલરને ટી.એલ. ફી પેટે રૂ.૨૦૦૦/- (બે હજાર રુપિયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી ભરાવવામાં આવે છે.

 

(૧૪) આર્મ્સ ડિલર્સ માટેનો પરવાનો:

નવો આર્મ્સ ડીલર્સ પરવાનો મેળવવા www.ndal-alis.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેની હાર્ડ કોપી જરૂરી દસ્તાવેજો અરજી સાથે બિડાણ કરી પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે જમા કરાવવાની રહે છે. અરજી સબંધે પોલીસ ઇન્સ્પેકટર/મદદનિશ પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનરના અભિપ્રાય આવ્યા બાદ અત્રેથી પોલીસ કમિશનરશ્રીના હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથેની દરખાસ્ત સરકારશ્રીના ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. પરવાનો મંજુર થયેથી નવા પરવાના ફિ રૂ.૨૦૦૦/- (બે હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહે છે.