પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

પેટ્રોલીયમ પરવાના

4/27/2024 1:42:07 AM

 

                                                                      પેટ્રોલીયમ પરવાના :

પેટ્રોલિયમ એક્ટ ૧૯૩૪ તથા પેટ્રોલિયમ રૂલ્સ ૨૦૦૨ મુજબ પેટ્રોલીયમ પદાર્થો (કલાસ-એ, કલાસ-બી.તથા ક્લાસ-સી.)ના સંગ્રહ કરવા, તેમજ ખરીદ-વેચાણ કરવા માટે પરવાના લેવાની આવશ્યકતા છે. અત્રેની પોલીસ કમિશનરશ્રી કચેરીના લાયસન્સ શાખા દ્વારા કલાસ-એ માટે ૩૦૦ લીટરથી ઓછા જથ્થા માટે તથા ક્લાસ-બી માટે ૨૫૦૦૦ લીટરથી ઓછા જથ્થાના પેટ્રોલીયમ પદાર્થોના સંગ્રહ, ખરીદ-વેચાણનાં લાયસન્સ આપવામાં આવે છે. જેનાથી વધુ જથ્થા માટે એન.ઓ.સી. આપવામાં આવે છે. એક્ષ્પલોઝીવ ડિપાર્ટમેન્‍ટ, ફાયરવિભાગ વગેરે, તરફથી એન.ઓ.સી. તથા સ્થાનીક પોલીસ તેમજ ટ્રાફીક શાખાના અભિપ્રાય  મળ્યા બાદ પેટ્રોલિયમ પરવાના મંજૂર કરવા અથવા તે માટે NOC આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. પેટ્રોલીયમ પરવાનો અત્રેથી એક વર્ષની મુદ્દ્ત માટે આપવામાં આવે છે. જે મુદ્દ્ત વધુ સમય માટે પરવાનો ચાલુ રાખવા માગતાં હોય તો પરવાનેદારે જરૂરી ફી સાથે એક માસ અગાઉ અરજી કરવાની રહે છે.